
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની 227 બેઠકો માટે ગઈકાલ ગુરુવારના રોજ, મતદાન યોજાયું હતું. આ ચૂંટણીની આજે હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં અત્યાર સુધીમાં સામે આવેલ વલણો અનુસાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના બીએમસી પર સત્તા સ્થાપશે. જો કે, અવારનવાર મરાઠી માણુસ, મરાઠી ભાષા અને આમચી મુંબઈના નામે રાજકારણ ખેલતા આવેલા ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરેને કારમી પછડાટ મળી છે. 20 વર્ષ પછી, મરાઠી ભાષા અને મરાઠી માણૂસના નામે પોતાની રાજકીય દુકાન ચાલુ રાખવા માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ભેગા મળીને ગઠબંધન બનાવ્યું. આ ગઠબંધન પણ મરાઠી માણૂસ, મરાઠી ભાષા અને આમચી મુંબઈના મુદ્દા પર રચાયું હતું. જોકે, હવે, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, મતદારોએ આ ગઠબંધન ફગાવી દઈને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને પ્રધાન્ય આપ્યું. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની મનસેમાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી આગળ નીકળી ગઈ છે. આથી ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરેને આશ્વાસન મળી રહેશે.



