
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે “સોમનાથ સ્વાભિમાન પર્વ” માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતે હોવાથી અહીં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે “સોમનાથ સ્વાભિમાન પર્વ” માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે.
PM મોદીએ કહ્યુ-સોમનાથ સ્વાભિમાન પર્વ એ લાખો ભારતીયોની શાશ્વત શ્રદ્ધા, ભક્તિ અને અટલ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પવિત્ર શ્રી સોમનાથ મંદિરમાં આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવો એ મારા જીવનનો એક અવિસ્મરણીય અને અમૂલ્ય ક્ષણ છે. આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશનો ઉત્સવ નથી, પરંતુ 1,000 વર્ષની યાત્રાનો ઉત્સવ છે. સોમનાથનો નાશ કરવાના એક નહીં પરંતુ અસંખ્ય પ્રયાસો થયા હતા. તેવી જ રીતે, વિદેશી આક્રમણકારોએ સદીઓથી ભારતનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ કે ભારતનો નાશ થયો ન હતો. કારણ કે ભારત અને તેના શ્રદ્ધાના કેન્દ્રો એકબીજા સાથે જોડાયેલા છે



